Friday 29 May 2015

સરકાર દ્વારા પગાર ફિક્ષ કરીને કર્મચારીઓ નુ થતું શોષણ


જયારે આખા ભારતમા રાજ્ય સરકાર ઉમેદવારની લાયકાત પ્રમાણે પગાર આપે છે ત્યારે આપણી ગુજરાત સરકાર ને ફિક્ષ પગાર કરવાની શું જરૂર છે?જો આજ પગાર મળવાનો હોઈ તો માણસ સરકારી નોકરી શું કામ કરે?અને સરકારી મા જોડાવું હોઈ તો તેમને તેમના રાજ્ય માંથી બહાર જવું પડે .એક બાજુ અમેરિકા જઈને સરકાર NRI ને પાછા બોલાવે દેશમા અને બીજું બાજુ રાજ્ય કે દેશ છોડીને જવું પડે એવી પરીસ્થીતી ઉભી કરે! ફિક્ષ પગાર મા સામાન્ય માણસ ઘર કેમ ચાલશે આ કોણ વિચારશે ? પછી આવો ઉમેદવાર ભ્રષ્ટાચાર જ કરે ને! કાર્ય સંતોષ ઔછા પૈસા ને લીધે ના હોવાથી કામ મા ૧૦૦% ધ્યાન ના આપે. ૫ વરસ જેમ તેમ ઘર ચલાવા માટે હવાતિયા મારી અને પછી બીઝનેસ સેટ કરે અને નોકરી સાઈડ મા કરે.હવે આમા પાછું આપણું બધાનું નુકસાન.સરકાર આપના પૈસા બેફામ વાપરે ,વિદેશ પ્રવાસ કરે અને અપણે બાળકો ની ફી ભરવાના પણ સાંસા હોઈ! અરે ઓ ભગવાન હવે અમને પણ અચ્છે દિન દેખાડ!

Wednesday 27 May 2015

આ સરકારી ભરતી છે કે ભીખ?

ગ્રંથપાલ ની સરકારી અને અનુદાનિત કોલેજો મા  ભરતી છેલ્લા બે દાયકા થી એક તો થય નથી અને વળી પાછી આ ભરતી આટલે વરસે આવી એમાં પણ ૩૬ જગ્યાઓં માટે .કોલેજ ગ્રંથપાલ માટે લાયકાત છે નેટ/સ્લેટ અથવા પીએચડી. આપણી વિકાસમા માનતી સરકારે લાયકાત તો આજ માંગી પણ પગાર રાખ્યો ૧૩૭૦૦ અને વર્ગ -૩ મા કરી રહી છે.કોઈ પ્રકારના અનુભવ કે સંશોધનને મહત્વ નથી આપ્યું.આટલુ ઓછું હોઈ એમ પરીક્ષા લેવાના છે જેમાં ૬૦% પરીક્ષાના અને ૪૦% મેરીટ ના.આ ઉપરાંત પરીક્ષાના સિલેબસ અને પૂછાનાર પ્રશ્નો વિષે વિષમતા છે.પરીક્ષાની ભાષા વિષે કોઈ સ્પષ્ટતા નથી.પેપર સ્ટાઈલ નથી. નેટ/સ્લેટ પરીક્ષા અને પીએચડી ની લાયકાત નુ શું મહત્વ છે?શું આ પોતાના સગા -વહાલોને નોકરી મા બેસાડી દેવા માટે કરવામાં આવેલું કારસ્તાન નથી લાગતું? અંધેરી નગરી ગંડુ રાજા ,ટકે શેર ભાજી ટકે શેર ખાજા.આ ભરતી કહી શકાય કે ભીખ?જો આ અન્યાયી નીતિ ચાલુ રાખવામાં આવશે તો આખા રાજ્યના ગ્રંથપાલો ભેગા થય ને લડત આપશે.

ગ્રંથપાલ મિત્રો ને અનુરોધ કે પોતાના શહેર ના છાપામાં આ પ્રેસનોટ છપાય એવું કરવું.