Friday 10 February 2012

News In divybhaskar 11/02/2012

http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=62&eddate=2/11/2012&querypage=7#


ખાલી જગ્યા પુરવા ઉરચક ાાએ રજૂઆત
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
હજારો પુસ્તકો જાળવવાની ફરજ બજાવતાં કર્મીઓ સામે ઓરમાયું વર્તન



રાજયની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં ૬૦ ટકા જગ્યાઓ ખાલી પડેલી છે, આ ખાલી જગ્યાઓ તાકીદે ભરવા રાજયના ઉરચ શિ ાણમંત્રીને ગુજરાત રાજય ગ્રંથપાલ મંડળના કાર્યકર્તા ઓએ આવેદન પાઠવ્યું છે.

ગુજરાત રાજય ગ્રંથપાલ મંડળના નમ્રતા બેન જોશી, અલ્કાબહેન ગોહેલ અને જીતેન્દ્રભાઇ પરમારે રાજયના ઉરચ શિ ાણમંત્રી હસુબેન ત્રિવેદીને પાઠવેલા આવેદનપત્ર માં રાજય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટ એઇડ કોલેજોમાં બે દાયકાથી ભરતી કરવામાં ન આવી હોવાનું અને ગ્રંથપાલ માત્ર ગ્રંથો ની આપ-લે કરવાનું કાર્ય કરતો નથી પરંતુ તે પુસ્તક સમી ાા, સાકણ, જિયોગ્રાફી સહિતની સેવાઓ થકી ઇ-લાઇબ્રેરિયન બન્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત બે દાયકાથી ભરતી ન થઇ હોય હજારો ઉમેદવારો બેરોજગાર થયા છે અને દર વર્ષે રાજયની વિવિધ યુનવસિર્ટીમમાંથી હજારો છાત્ર બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અને માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સની પદવી લેતા હોય બેરોજગારીનો આંક વઘ્યો હોવાનું જણાવ્યું છે.

વિશેષમાં સરકારી કોલેજોમાં બે-કે ત્રણ વ્યાખ્યાન આપવાના હોય છે ત્યારે પૂર્ણ સમય શૈ ાણિક ફરજ બજાવવાની હોવાની અને હજારો પુસ્તકોને જાળવવાના ફરજ અદા કરવાની હોય પૂર્ણ પગાર ધોરણથી ભરતી કરવા જણાવ્યું છે. અંંતમાં રાજયની કોલેજોમાં ભરતી લાંબા સમયથી ન થઇ હોવાના કારણે પણ દુર્દશા હોય તાકીદે ભરતી કરવા જણાવ્યું છે.

સરકારી કોલેજોમાં ૬૦ ટકા ગ્રંથપાલની જગ્યાઓ ખાલી

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.